
રાજકોટઃતા ૨૪ (*સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)કુવાડવા થી પાંચ કિલોમીટર એ આવેલા સાયપર ગામે ટેકરી પર આવેલા પ્રસિધ્ધ શ્રી જંત્રેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્ય માં તા. 25 ને 26 સાતમ-આઠમ બે દિવસ ભવ્ય લોકમેળા આયોજન કરાયુ છે. અહીયા બિરાજમાન શ્રી કાળભૈરવ દાદા નો અનેરો મહીમા છે આ લોકમેળાનો દર વર્ષે પરમ્પરાગત રાજકોટ કુવાડવા સહીત આસપાસ ગ્રામજનો હાજરોની સંખ્યામાં લાભ લે છે મેળા ના આયોજન ને સફળ બનાવા ને લોકો વધુ ને વધુ મેળા નો લાભ લે માટે ગોસ્વામી સોમપરી પ્રેમપરી મહંત પરિવારો જહેમત ઉઠાવી રહ્યા છે.




