
મોરબી : તા ૨૯ મોરબી રાજકોટ જિલ્લાના ખેડૂતોને કેસીસી ધીરાણમાં ૫ લાખ સુધી ઝીરો ટકા વ્યાજનો લાભઆપવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે
રજૂઆતમાં જણાવાયું છે કે, ભારતમાં ખેડૂતોને કેસીસી
ધીરાણમાં 3 લાખની જગ્યાએ 5 લાખ સુધી ઝીરો
ટકા વ્યાજનો લાભ આપવામાં આવે છે. જેનો બજેટમાં
પણ સમાવેશ કરાયો હતો. આ બાબતનો પરિપત્ર પણ
કરાયો છે. પરંતુ આવા પરિપત્રો મોરબી/રાજકોટ
જિલ્લાની સરકારી- અર્ધસરકારી બેંકો, મંડળીઓને
મળેલ ન હોય જેના કારણે મોરબી જિલ્લાના ખેડૂતોને
આ યોજનાનો લાભ મળતો નથી. જેથી મોરબી
રાજકોટ જિલ્લાના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે.
તેથી સરકાર દ્વારા બેંકો અને મંડળીઓને પરિપત્રો પૂરા
પાડવા તથા જે ખેડૂતોએ પુરવણી ધીરણ લીધેલ ન
હોય તેવા ખેડૂતોને 5 લાખ સુધી ઝીરો ટકા વ્યાજ લેખે
ધીરાણ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

