
(મા)સામપર:તા ૧૫ અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મુસાફરોના તેમજ બિલ્ડીંગ માં રહેતા ડોક્ટરના આકસ્મિક અવસાન થયેલ છે દુઃખદ ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અવસાન પામેલ જીવનની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સામપર ગામના સરપંચ શ્રી જીવરાજભાઈ મનજીભાઈ ચોટલીયા તેમજ સામપર ગ્રામજનો શાળા આચાર્યશ્રી હરેશભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી રેખાબેન પરમાર તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો એ સામપર રાધાકૃષ્ણ મંદિરે સરપંચ જીવરાજભાઈ ચોટલીયા ની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમના પ્રત્યે દુઃખ વ્યક્ત કરી ભગવાન તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના તેમજ બે મિનિટ નું મોન પાડી પુણ્ય આત્માઓને શાંતિ મળે અને વૈકુંઠવાસ થાય જેવી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી(*લલીત નિમાવત દ્વારા*)
