
મોરબી : તા ૪ દર સોમવારે કચેરી સમય દરમિયાન સાંસદ કેસરીદેવસિંહ ઝાલા લોકોને મળશે: રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના જનસંપર્ક કાર્યાલયનો આજરોજ મોરબી શહેરમાં શુભારંભ કરવામાં આવ્યો છે. મોરબી કલેકટર કચેરીના પહેલા માળ પર રૂમ નંબર 104 માં કેસરીદેવસિંહ ઝાલાના જનસંપર્ક કાર્યાલયનું આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
