
મોરબી;તા. ૨ ઓગષ્ટ ના રોજ મોરબી – રવાપર રોડ ખાતે સિરામિક એસોસિએશન, વેપારી, પાટીદાર સમાજ ના આગેવાન દ્રારા સમાજ જાગૃતિ દ્રારા ગરબા ક્લાસીસ બંધ કરાવવા માટે જંગી જાહેર સભા નુ આયોજન .
આજ રોજ મોરબી ખાતે વિવિધ સમાજ ના આગેવાનો , વેપારી અને ઉધોગકારો દ્રારા સમગ્ર સમાજ માં જન જાગૃતિ આવે તે બાબતે જાહેર સભા નુ આયોજન થયુ હતુ જેમાં ગરબા ક્લાસીસ ના નામે ચાલતા ડીસ્કો ક્લાસીસ થી સમાજ જે દુષણ ફેલાય છે. આવા ક્લાસીસ નોવિરોધ કરવા માં આવ્યો છે. આવા ક્લાસિસ ની કોઇ જરુર નથી. ગરબા સિખવવા માટે કોમન પ્લોટ કે પોતાના પાર્કીંગ માં વ્યવસ્થા કરી ને ગરબા સિખવવા જોઇ. આવી વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી જેથી ખોટી રીતે સમાજ ની દિકરીઓ ભોગ બને નહી તે બાબતે છણાવટ કરી ને તમામ સમાજ ને આહવાન કરવા માં આવ્યુ કે આવા ગરબા ક્લાસીસ માં કોઇ એ પોતાના દિકરા દિકરીઓ ને મુકવા જોઇએ નહી અને શેરી ગરબા ને પ્રોત્સાહન આપી ને પારંપરિક ગરબા રમવા જોઇએ. અને આવા ગરબા ક્લાસીસ સદંતર બંધ થવા જોઇએ.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સિરામિક એસોસિએશન ના આગેવાનો મનોજભાઇ એરવાડીયા, હરેશ બોપલિયા, સંદિપ કુંડારિયા તથા અજય મારવલિયા એ ભારે જહેમત ઉઠાવી ને ઉધોગ ના મિત્રો સુખદેવભાઇ, મુકેશ કુડારિયા, એલ ગૃપ ના અનિલભાઇ , જયેશભાઇ, સામજીભાઇ, મણિલાલ બાવરવા, નિલેષભાઇ જેતપરિયા સાથે સતત મીટીંગો કરી ને આ ગરબા ક્લાસીસ બંધ કરવા માટે શ્રી પાટીદાર યુવા સેવા સંઘ મોરબી ના આગેવાન મનોજભાઈ પનારા અને તેમની ટીમ તથા પટેલસમાજ ના વીર યોદ્ધાઓ ના આગેવાન પંકજભાઈ રાણસરિયા તથા તેમની ટીમ સાથે મળી ને એક જાહેર કાર્યક્રમ નુ આયોજન કરેલુ હતુ જેમા વિવિધ સંગઠનો, રાજકીય આગેવાનો, ઉઘોગ ના આગેવાનો, વેપારી ઓ એક મંચ પર આવી દરેક સમાજ માં ચાલતા આવા ગરબા ક્લાસીસ સામે વિરોધ નોંધાવેલો છે.

