જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ નું પ્રેરણાદાયી કાર્ય……જોડિયા તાલુકાની આણાંદા ગામના વતની અને ત્યાંજ પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા યુવાન શિક્ષક સ્વ.જીતેન્દ્રભાઈ વલ્લભભાઇ વિરમગામા નું આકસ્મિત રીતે 8/11/20 ના અચાનક અવસાન થયું હતું.જેથી આખા તાલુકા માં શોક નું મોજું ફરિવડ્યું હતું.ત્યારે તાલુકા સંઘ ના પ્રમુખ ભાવેશભાઈ પનારા અને મંત્રી અને સંઘ ના સભ્યો દવારા એક વિચાર તાલુકા ના તમામ શિક્ષકો પાસે મુકવામાં આવ્યો કે સ્વ.જીતેન્દ્રભાઈ ના પરિવાર ને યથાશક્તિ આર્થિક અનુદાન આપી તાલુકા ના બધા શિક્ષકો સાચી શ્રદ્ધાંજલી આપીએ.ત્યારે આ વિચાર ખૂબ સારો લાગતા તમામ શિક્ષકો એ આર્થિક અનુદાન તાલુકા સંઘ જોડિયા ને આપ્યું.જે માં 1.45.555/–એક લાખ પિસ્તાલીસ હજાર પાનસો પચાવન રૂપિયા નો ચેક જેવી રકમ એકત્ર થઈ અને તે રકમ સ્વ.જીતેન્દ્રભાઈ ની દીકરી વેદાંશી ના હાથમાં તેમના નામનો ચેક તેમના ઘરે જઈને આપવામાં આવ્યો હતો.જેમાં તાલુકા ના પ્રમુખ ભાવેશભાઈ પનારા.મંત્રી ગેલાભાઈ જારીયા ખજાનચી જયદીપભાઈ કોઠારી,જિલ્લા સંઘ ના સભ્ય રાજુભાઇ ડાંગર,તે શાળા ના આચાર્ય અશ્વિનભાઈ સંતોકી તથા અન્ય શિક્ષકો તેમના પરિવાર ને સામુહિક આશ્વાસન અને ચેક અર્પણ કરવા તેમના ઘરે પહોંચ્યા હતા. અને સ્વ.જીતેન્દ્રભાઈ ને શ્રદ્ધાંજલી આપી હતી……
શરદ એમ.રાવલ..હડિયાણા..
