
*શ્રાવણ માસના દ્વિતીય સોમવાર નિમિતે સલાયાના પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરે વિશિષ્ઠ દર્શનનો લાભ લેતા સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવા*
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યોં છે. મહાદેવના ભક્તો મોટી સંખ્યામાં મંદિરે દર્શન એમજ પૂજા અર્ચના કરવા જઈ રહ્યાંછે.આજરોજ શ્રાવણ માસના દ્વિતીય સોમવાર નિમિતે સલાયા શહેર ભાજપ પ્રમુખ શ્રી લાલજીભાઈ ભુવાએ સલાયાના પૌરાણિક મંદિર શ્રી નીલકંઠ મહાદેવના મંદિરે આયોજિત વિશિષ્ઠ જંગલેશ્વર સ્વરૂપના દર્શનનો લાભ લીધો એમજ મહાદેવનું પૂજન અર્ચન કર્યા હતા.આ દર્શનનું આયોજન નીલકંઠ મહાદેવ મંદિરના મહંત અશોકપરી ગુલાબપરી ગૌસ્વામીએ તથા એમના પરિવારજનોએ કર્યું હતું.આ દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.
