
મોરબી:તા ૫ તાજેતર માં મોરબી સિરામિક એસોસિએશન ના હોદ્દેદારો એ સંસદભવન – દિલ્હી ખાતે સિરામિક ના વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતે રજુઆત કરી હતી.
મોરબી સિરામિક દ્રારા વાર્ષિક ૨૦ હજાર કરોડ થી વધુ એક્સપોર્ટ થાય છે જેમાં બાયર દ્વારા પેમેન્ટ ખોટા થાય છે. આ ફસાયેલા પેમેન્ટ બાબતે મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા ને રુબરુ મલી ને રજુઆત કરી હતી. જેમાં મંત્રીશ્રી એ હકારાત્મક અભિગમ અપનાવી ભારત સરકાર દ્રારા થતી તમામ મદદ કરવા ખાતરી આપી હતી. જેમાં અધિકારીઓ સાથે વાત ચિત કરી આગળ ની કાર્યવાહી કરવા જેતે વિભાગ માં સુચના આપી હતી.
ઉપરાંત કસ્ટમ વિભાગ ના પ્રશ્નો તથા એક્સાઇઝ ના જુનો પ્રશ્નો અને ગ્રાઉન્ડ વોટર માં બોરવેલ બાબતે આવેલી નોટીસ બાબતે રજુઆત કરી હતી.
મનસુખભાઈ માંડવિયા સાહેબ ને રજુઆત કરી ત્યારે હાજર રહેલા મહાનુભાવો મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા અને રાજેશભાઇ ચુડાસમા એ સંબંધિત પ્રશ્નો બાબત માં ઉંડાણ પુર્વક ચર્ચા કરી હતી.
આગામી સમય માં સંબંધિત મંત્રાલય માં ફોલોઅપ લઇ ને પ્રશ્નો ના નિરાકરણ માટે ફરી વખત એસોસિએશન ને બોલાવશે. મોટા ભાગ ના પ્રશ્નો નુ નિરાકરણ આવી જશે તેવી હૈયાધારણા આપી છે.
પ્રમુખ શ્રી
મોરબી સીરામીક મેન્યુ .એસોસિએશન
