
ધ્રોલ:(*લલિત નિમાવત દ્વારા*)તા ૨૭ ધ્રોલ ખાતે ગઈ કાલે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. બ્રહ્મનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ સમાજ દ્વારા સમૂહ જનોઈ બદલાવવાનો કાર્યક્રમ શ્રદ્ધાભક્તિ પૂર્વક યોજાયો.
સવારે વિધિવત્ મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા સમૂહ જનોઈ બદલાવાની વિધિ કરાવવામાં આવી. સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ધાર્મિકવિધિમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.આ ધાર્મિક આયોજનથી સમાજમાં ભક્તિભાવ સાથે એકતા અને સૌહાર્દનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું.
