
ધ્રોલ:તા ૨૭ (*લલિત નિમાવત દ્વારા*)જામનગર જિલ્લામાં પરિવહન સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે ધ્રોલ એસ.ટી. ડેપો ખાતે ગઈ કાલે નવા વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે ૭ નવીન એસ.ટી. બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપો મેનેજર આર.એ. શેખ, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ વિનુભાઈ વાઘેલા, ભાજપ અગ્રણી બીજરાજસિંહ જાડેજા, નવલભાઈ મુંગરા, સંજયસિંહ જાડેજા, રાજભા જાડેજા, સી.એમ. વરુ તેમજ શહેર ભાજપ મહામંત્રી ઋતુ ગડારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ લીલી ઝંડી બતાવીને નવા વાહનોને પ્રસ્થાન કરાવતાં જણાવ્યું કે, ધ્રોલ સહિતના વિસ્તારોમાં મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત પ્રવાસ મળી રહે તે માટે આ નવી બસો ઉપયોગી સાબિત થશે. સ્થાનિક આગેવાનો દ્વારા પણ નવા વાહનોના ઉમેરાથી મુસાફરોને સીધી સગવડતા વધારાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
