
મોરબી : તા ૩૧ મોરબીમાં સિરામિક ઉદ્યોગ કારો તેમજ
સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આજે લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ક્રાંતિકારીઓને પણ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી
આ વેળાએ સિરામિક એસોસિએશનના પ્રમુખો, સભ્યો તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સિરામિક એસોસિએશનના પ્રમુખ શ્રીઓ ના જણાવ્યા મુજબ સિરામિક પરિવાર અને પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સ્ટેચ્યુ મુકવા તથા સર્કલ બનાવવા કોર્પોરેશનમાં માંગણી મૂકી હતી. પણ તેની મંજૂરી માટે વધુ સમય લાગ્યો છે. જેથી આ જન્મજયંતિએ કઈ આયોજન થઈ શક્યું નથી. પરંતુ હવે સિરામિક ઉધોગ કારો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે શહેરમાં બેથી ત્રણ જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મુકવામાં આવશે.



