આજે ડૉ. રજનીશ ઝાલાવાડીયા નો જન્મદિવસ
રજનીશ ઝાલાવાડીયા પડધરી ખાતે પનામ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચલાવી રહ્યા છે તેઓ ઓર્થોપેડિક સર્જન તરીકે પોતાની હોસ્પિટલમાં જ સેવા બજાવી રહ્યા છે.
ડૉ.રજનીશ ઝાલાવાડીયા ડોક્ટર તરીકે તો સેવા આપી રહ્યા છે જ પરંતુ તાજેતર માં જ મિત્ર સર્કલ સાથે મળીને પડધરી તાલુકા માં સેવાયજ્ઞ ગ્રુપ નો પ્રારંભ કરેલ છે. જેમાં માનસિક અસ્થિર લોકોને નવડાવી, નવા કપડાં પહેરાવી અને જમાડવાનું કામ કરી રહ્યા છે. આવા લોકોને જો શરીરમાં કોઈપણ પ્રકારની ખામી હોય તો ફ્રી મા તેનું ઓપરેશન કરી અને તેનું નિદાન પણ પનામ હોસ્પિટલમાં જ કરી આપવામાં આવે છે. તેમજ અન્ય ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ મા હંમેશા જોડાયેલા જ રહે છે.
ડૉ.રજનીશ ઝાલાવાડીયા ને બહોળું મિત્ર સર્કલ હોવાથી મિત્રો અને સગા સ્નેહીઓ દ્વારા તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ ધોધ વરસી રહ્યો છે.
ડૉ.રજનીશ ઝાલાવાડીયા હંમેશા સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે તેવી પડધરી પત્રકાર એસોસિએશન દ્વારા તેમને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.