• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન અપાયું*

*આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન અપાયું.*

૩૧ ડિસેમ્બર,૨૦૨૫ ના રોજ એક ૬૦ વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવ્યા, જ્યારે દર્દી ઈમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે તેઓ બેભાન હાલતમાં હતા અને તેમનું ઓક્સિજન લેવલ માત્ર ૫૮% હતું. ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ કરતા જણાયું કે દર્દીને હૃદયનો મોટો હુમલો આવેલો છે, દર્દીના લોહીમાં CO2 વાયુનું લેવલ ૯૮ જેટલું થઈ ગયું છે. કીડની પર ડેમેજ થયું છે, ફેફસામાં ચેપ ફેલાઈ ગયો છે.તેમજ દર્દીની હાલતને ધ્યાનમાં લેતા તાત્કાલિક ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા ,દર્દીના દીકરા દ્વારા ખુબજ ભાવુક રીતે વિનંતી કરવામાં આવી હતી કે *“સાહેબ આ મારા પપ્પા છે,તમારે ગમે તેમ કરીને એમને સાજા કરવાના છે”* અને અંતે ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા આયુષ હોસ્પિટલમાં તેમની સચોટ નિદાન અને સારવાર ખુબજ સફળતાપૂર્વક થતા વેન્ટિલેટર પરના દર્દીની માત્ર ૫ દિવસમાં ખુબજ સારું થઈ જતા રજા કરવામાં આવી.આથી દર્દી અને દર્દીના સગા દ્વારા ડોક્ટર સાહેબ તેમજ આયુષ હોસ્પિટલનો અંતઃકરણથી ખૂબ આભાર માનવામાં આવ્યો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા: ઉદાસીન સંતકુટીર રામવાડી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્યથી દિવ્ય ઉજવણી કરાય*

editor

*HELLO MORBI:ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે જાહેરનામું બહાર પડાયું*

editor

*મોરબી લાયન્સ ક્લબ નજરબાગ દ્વારા લોકોના આરોગ્ય જતન અંતર્ગત ચકાસણી કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment