આજરોજ તારીખ 26 જાન્યુઆરી 2021ના રોજ સમગ્ર ભારતમાં ૭૨ માં પ્રજાસત્તાક પર્વની ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ હતી. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની તાલુકા કક્ષાની પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી મામલતદાર કચેરી ખાતે થઇ હતી જેમાં જોડિયા મામલતદાર શ્રી પી. કે.સરપદડિયાયા જોડિયા તાલુકા વિકાસ અધિકારી કુ.માધુરીબેન પટેલ.જોડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર.વાળા સાહેબ, જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોરભાઈ ગજેરા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી.જોડિયા તાલુકાના મામલતદાર સાહેબશ્રી સરપદળીયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેઓ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં પ્રદૂષણ મુક્ત ભારત પર ખાસ ભાર મૂક્યો હતો ઉપરાંત આજરોજ કોરોના મહામારી ના સમયગાળા દરમિયાન વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કર્યું હતું જેમાં જોડિયા CHC મેડીકલ ઓફિસર ડો. ભાવેશ ડાંગર, શ્રી હડીયાણા કન્યા શાળાના આચાર્ય અરવિંદ મકવાણા, નેસડા પ્રાથમિક શાળાના રમેશભાઈ, જસાપર પ્રાથમિક શાળાના સાગરભાઇ આંગણવાડી કાર્યકર વગેરેનું મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ કામગીરી બદલ સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સ્ટેજ સંચાલન હડીયાણા કન્યા શાળાના આચાર્ય અરવિંદ એન. મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે મામલતદાર કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો…..
શરદ એમ.રાવલ..હડિયાણા..