મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે કોરોના મહામારીને પગલે તમામ ધાર્મિક કાર્યો અને વિધિ બંધ રાખવામાં આવી હતી જે હવે શરુ કરવામાં આવી છે ધાર્મિક કાર્યો માટે એડવાન્સ બુકિંગ કરાવવા જણાવ્યું છે
મહારાજા શ્રી લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટની યાદી જણાવે છે કે ટ્રસ્ટ સંચાલિત રફાળેશ્વર મહાદેવ મંદિરમાં થતા ધાર્મિક કાર્ય ફેબ્રુઆરીથી શરુ કરવામાં આવ્યા છે જેથી ધાર્મિક કાર્ય માટે તેમજ મંદિર પાસે આવેલ ધર્મશાળા મકાનના દૈનિક લગ્ન પ્રસંગે ભાડેથી આપવા એડવાન્સ બુકિંગ ચાર્જ ટ્રસ્ટના નિયમ મુજબ ટ્રસ્ટ કર્મચારી સ્વીકારે છે જે રફાળેશ્વર મહાદેવ મંદિર ઓફિસમાં બુકિંગ કરાવી શકાશે જેથી સર્વે ભાવિકોએ નોંધ લેવા જણાવ્યું છે
