કોરોના મહામારીના ધ્યાને લઈને મહાશિવરાત્રીનો મેળો રદ્દ કરાયાની જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા જાહેરાત
મોરબી : મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોથી યોજાતા મહાશિવરાત્રીના મેળાને આ વખતે કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું છે અને કોરોના મહામારીના ધ્યાને લઈને મહાશિવરાત્રીનો મેળો રદ્દ કરાયાની જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા પાંચ વર્ષથી જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે.જેમાં મોરબી ઉપરાંત સૌરાષ્ટ્ર ભરના લોકો આ મહાશિવરાત્રીના મેળામાં ઉમટી પડીને ભગવાન ભોળાનાથ દર્શન કરી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરીને મેળાની મોજ માણે છે.પણ આ વખતે કોરોના મહામારીને કારણે ગંભીર સ્થિતિ હોવાથી આ ગંભીરતાને ધ્યાને લઈને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રીનો મેળો રદ કરવાની જાહેરાત કરી છે અને આ અંગે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને એસપીને લેખિતમાં જાણ કરવામાં આવી છે.તેમજ મહાશિવરાત્રીનો મેળો રદ થવા બાબતે જાહેર જનતાને નોંધ લેવાનું પણ જણાવ્યું છે.
