મોરબી : મોરબી જિલ્લામાં રહેતા રામભક્તો અને સંસ્થાઓ અયોધ્યા રામમંદિર નિમાર્ણ કાર્ય માટે સહભાગી થવા આર્થિક યોગદાન આપી રહ્યા છે. ત્યારે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ-મોરબી શાખાનાં વિકાસ સમિતિના કન્વિનર શીવલાલભાઈ પટેલ, સહકન્વિનર દિપકભાઈ બકરાણીયા તથા સદસ્યો તરફથી ડો. જયંતિભાઈ ભાડેશીયાને રામજન્મભૂમિ નિર્માણ હેતુ રૂપિયા 1,01,000ની નીધી અર્પણ કરવામાં આવેલ છે. આમ, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ-મોરબીના સ્ટાફે રામમંદિરમાં ફાળો આપી રામભકિતનો પરિચય આપ્યો છે.
