રઘુવંશી સમાજના યુવાનોના ઉત્કર્ષ માટે છેલ્લા બે વર્ષથી સતત કાર્યરત રોયલ રઘુવંશી ગૃપ યુવાનો માટેના રચનાત્મક કાર્યક્રમો કરવા માટે સુપ્રખ્યાત બનેલ છે ત્યારે મોરબીના રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોમાં બૌધિક અભિયોગ્યતા કેળવાય તેમજ યુવાનોમાં અભિવ્યક્ત થવાનું કૌશલ્ય ખીલે એ હેતુસર ‘અભિવ્યક્તિ ઉત્સવ – 2021’ નું સુંદર આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત 8 વર્ષથી 35 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તદઉપરાંત કરાઓકે સિંગિંગ સ્પર્ધા પણ યોજાશે જેમાં 8 વર્ષથી 50 વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં વિજેતા બનનારને આકર્ષક ઈનામો પણ આપવામાં આવશે. આ સ્પર્ધા તારીખ – 14/03/2021 ને રવિવારના રોજ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે 3 સ્થળોએથી ફોર્મ મેળવી શકાશે. આજે જ આપનું નામ નોંધાવો.
1) શ્રી શિવ કલર વર્લ્ડ – શિવશક્તિ આર્કેડ, HDFC બેંક પાસે, શક્તિ પ્લોટ મેઈન રોડ, મોરબી.
2) જે.પી.સેજપાલ & એશોસિએટ્સ – રજની પ્લાઝા, બીજો માળ, GIDC સામે, શનાળા રોડ, મોરબી.
3) સાર્થક વિદ્યામંદિર – કેસર બાગ પાસે, મોરબાના હનુમાનજી મંદિર પાસે, એલ.ઈ.કોલેજ રોડ, મોરબી-2
સ્પર્ધાને લગતી વિશેષ માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરો.
ચિત્ર – 87350 87101
કરાઓકે – 96878 44888
વક્તૃત્વ – 94089 97722
નિબંધ – 8000071621 , 85302 06612
