હાલ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે અને કોરોના અંતર્ગત લોક ડાઉન મા લોકોના ધંધા રોજગાર મંદી મોંઘવારી માં લોકોનું ભાવિ જોખમમાં રહ્યું છે ત્યારે ધારાસભ્ય સંસદસભ્ય અને ચૂંટાયેલા સદસ્યો સભ્યો અને જે તે રાજ્યના મંત્રી મુખ્યમંત્રી દ્વારા કોરોના માં મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારજનોને આર્થિક સહાય ઝડપી અને સરળતાથી આપવામાં આવે તેવી લાગણી અને માંગણી આદર્શ મહિલા સખી સેવા
મંડળ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. જેમાં તેઓએ જણાવેલ છે કે હાલ કોરોના કારમાં લોકોના ધંધા રોજગાર માં મંદીનું મોજુ ફરી વળ્યું હોય જેના કારણે ઘણા પરિવારજનો ભયભીત ચિંતક માં આવી ગયા છે ત્યારે સરકારે આત્મનિર્ભર થઈ લોકોના આત્મવિશ્વાસને જગાડવા માટે આર્થિક સહાય ઝડપી રૂપિયા ૧ લાખથી પાંચ લાખ સુધીની મદદ સહાય કરવી જોઈએ જેથી કોરોના માં મૃત્યુ પામનાર પરિવારના લોકોને કારમી મોંઘવારી અંતર્ગત મંદીના માહોલમાં દિવસોમાં હાલાકી ન પડે તેવા પ્રયાસો સરકારશ્રીએ કરવા જોઈએ સંસ્થા ના પ્રમુખ ક્રિતી બેન રાઠોડ જણાવ્યું છે.