
જામનગર જિલ્લાના વધુ એક જોડિયા ગામ તા.15 થી 30 સુધી કરિયાણાની દુકાન પાનના ગલ્લા તેમજ અન્ય દરેક દુકાનો સવારે 5 થી 2 વાગ્યા અને નાસ્તા તેમજ ખાણીપીણીની લારીઓ તેમજ દુકાનો 3 થી 7 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. બાકી નો સમય સ્વૈચ્છિક લોકડાઉન નો જોડિયા ગ્રામ પંચાયતના સરપચ શ્રી ની સાથે મામલતદાર શ્રી જોડિયા.. TDO શ્રી જોડિયા.. PSI શ્રી જોડિયા…જોડિયા હુન્નર શાળા ખાતે વેપારીઓ સાથે ખાસ બેઠક યોજી ને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.અને જોડિયા ગામમાં બહાર ગામ થી આવતા મહેમાનો ને કોરોના ની ટેસ્ટિંગ કરી ને પ્રવેશ આપવામાં આવશે.અને જેમના ઘરોમાં પોજેટીવ કેસ હોય તેમના પરિવાર ના કોઇ પણ વ્યક્તિ એ બહાર નીકળવું નહીં.અને બહાર ગામના ફેરિયાઓને ગામમાં પ્રવેશ ન કરવો.અને દરેક નાગરિકોએ ફરજીયાત માસ્ક પહેરીને જ બહાર નિકળવું. અને જરૂરરી ન હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું પસંદ કરે….


શરદ એમ.રાવલ..હડિયાણા..
