
હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના મહામારી અંતર્ગત લોકો ભયભીત ગંભીર ચિંતક બન્યા છે ત્યારે રાત-દિવસ પોતાના જીવને જોખમમાં રાખી પ્રજાના રક્ષકો એવા પોલીસ તંત્ર દ્વારા સાવચેતી લોકોમાં રહે તેવા પ્રયાસો અંતર્ગત અમદાવાદ શાહપુર રંગીલા પોલીસ સ્ટેશન દ્વારા તાજેતરમાં જ માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે રાહદારી નાના-મોટા લારી-ગલ્લા ફેરીયા સહિત વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે રહી સુરક્ષિત રહેવા હેતુસર અપીલ કરી હતી અને માસ્ક વિતરણ કરી ખરા પ્રજા રક્ષક તરીકેની ઓળખ આપી છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી સરકારની ગ્રાઇડ લાઈન મુજબ લોકો જાગૃત રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા જેમાં અમદાવાદ ખાતે શાહપુર પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાહિત કાર્ય કરતા ફરજનિષ્ઠા પોલીસ કર્મચારીઓ તસવીરમાં નજરે પડે છે
