
……….. જય ઉમિયાજી……..
આજ રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે પટેલ સમાજ ની વાડી ખાતે કોરોના રેપીડ ટેસ્ટ વિના મૂલ્યે કૅમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું..
શ્રીઉમિયા માતાજી મંદિર સીદસર પ્રેરિત અને શ્રી ઉમા કોવિડ કેર સેન્ટર દ્દ્વારા ધ્રોલ-જોડિયા તાલુકાના કુલ 21 ગામ માં 2950 કોરોના રેપીડ ટેસ્ટ કરેલ જેમાંથી 68 વ્યક્તિના રિપોર્ટ પોસેટિવ આવેલ જે વ્યક્તિને નિઃશુલ્ક સારવાર માટે દવા આપેલ
આ કાર્યમાં પાટીદાર સમાજ ના આગેવાન જેરામભાઈ વાસજળીયા ના માર્ગદર્શન હેઠળ શ્રી ઉમા કોવિડ કેર સેન્ટર નું કાર્ય રમેશભાઈ રાણીપા, શૈલેષભાઇ વસનાણી ,રમેશભાઈ જાકાસણીયા,હિતેશ ચનીયારા,અનિલ ભૂત, વિસાલભાઈ ,દયાળજીભાઈ.ગિરધરબાપા પનારા. વગેરે સમાજ ના કાર્યકર્તા દ્વારા આ સેવાકીય કાર્ય ખુબજ સારી રીતે કરેલ.
જેમાં ધ્રોલ -જોડિયા વિસ્તાર ના ગામમાં કોરોના રેપીડ ટેસ્ટ કરવા માટેની બધી જવાબદારી હિતેશ ચનીયારા ને આપેલ તેની સાથે ડો મનીષ વસનાણી, ડો તરૂણ વસનાણી ડો નીતિન કંજીયા, સાહેબ ની ટીમે નિઃશુલ્ક સેવા આપેલ.હડિયાણા ગામે રમેશભાઈ કાલાવડિયા.ના સાથી મિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી…..


શરદ એમ.રાવલ..હડિયાણા..
