
સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા વિસ્તાર અને રણ વિસ્તાર માં સતત બે દિવસ સુધી વાવાઝોડાએ ભારે ભાગદોડ કરાવી દીધી હતી જેના અનુસંધાને સરકારી અધિકારીઓ એલર્ટ રહ્યા હતા દરિયા વિસ્તાર રણ વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોઈ મોટી જાનહાનિ ના થાય તેવા પ્રયાસો કર્યા હતા પરંતુ કોરોના મહામારી અંતર્ગત ચાલી રહેલા લોક ડાઉન માં મોટાભાગે મોંઘવારી મંદીની ઝપટમાં લોકો આવી ગયા છે ત્યારે પડ્યા પર પાટું સમાન ખેડૂતો અને દરિયા ખેડૂતો સહિત મીઠાના અગરિયાઓને પણ ભયભીત ચિંતક બન્યા છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા ટીકર સુરબારી નવલખી સહિતના વિવિધ વિસ્તારોમાં મીઠું પકાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ઘણા બધા દરિયાઇ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે તેઓએ રાત દિવસ ખારા પાણીના ખાડામાં મીઠું પકવવાનું કાર્ય કરી પોતાનું પરિવારનું ગુજરાન ચાલે તેવા કડી મહેનત કડકડતા તાપમાપણ સારો સંઘર્ષ કરી કમાણી કરવાના પ્રયાસો કર્યા હતા તેના પર કુદરતી આપત્તિજનક આવેલા વાવાઝોડાએ પડ્યા પર પાટું માર્યું હોય તેમ મોટા ભાગે દરિયાઇ વિસ્તારમાં અને રણ વિસ્તારમાં વસવાટ કરતા મીઠાના અગરિયાઓ ને વાવાઝોડાએ પછી લાત મારી હોય તેમ મોટું નુકસાન અનુભવી રહ્યા છે ત્યારે વિકાસલક્ષી સરકાર દ્વારા આવા મીઠાના અગરિયાઓને સહાય આપી કુદરતી આપત્તિજનક લાગેલી મારને મરામત માટે મદદે આવે તેવી આશાઓ દરિયાઈ ખેડૂતો અને મીઠાના અગરિયાઓ મીઠા પકવતા મજૂરો માં વિકાસલક્ષી સરકાર પર આશાઓ જન્માવી છે
*અહેવાલ અને તસવીર આરીફ દિવાન*
