
મોરબી સિરામીક એશોસીએસન દ્વારા જુદા જુદા પ્રયાસ થી અને અપિલ થી દરેક ઉધોગકારો કંઇ ને કંઇ રીતે મોરબી ના લોકો માટે કોરોના સામે લડવા સતત મદદ કરતા રહે છે ત્યારે સિરામીક ના ઉધોગપતી એવા ધનજીભાઇ ગંગારામભાઇ કાસુન્દ્રા મુળ રવાપર ના વતની અને હાલ મારૂતિનગર સોસાયટી મા રહે છે તેમને પોતાના પુત્ર કિશન ધનજીભાઇ કાસુન્દ્રા તેમજ પુત્રી બંસી ધનજીભાઇ કાસુન્દ્રા હસ્તે ઓકસીજન કોન્સ્યુલેટર મશીન નંગ -૮ મોરબી સિરામીક એશોસીએસન ને ડોનેટ કરેલ છે ત્યારે મોરબી સિરામીક એશોસીએસન તેમનો આભાર માને છે અને સાથોસાથ મોરબી તેમજ ગ્રામ્ય વિસ્તાર મા કોઇ પણ જ્ઞાતિના દર્દી ઘેર સારવાર લેતા હોય તો તેમને આ મશીન ડીપોજીટ લઇને અથવા તો ઉધોગકાર ની ગેરંટી સાથે પેશન્ટ ટુ પેશન્ટ વાપરવા માટે નિશુલ્ક આપવામા આવશે તો જરૂરીયાત હોય તેઓ મોરબી સિરામીક એશોસીએસન 9727570850 નો સંપર્ક કરવા વિનંતી છે .*અહેવાલ અને તસવીર આરીફ દિવાન*
