
“મોરબીના મહેન્દ્રનગર સીએનજી પંપ પાછળ આવેલ ગણેશપુરી સોસાયટીમાં સંસ્થાના અધ્યક્ષ અલ્પેશ કાલરીયા સહિત સંસ્થાના સભ્યો પર્યાવરણ જતન ની જ્યોત શરૂ રાખી છે”
મોરબી શહેર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એટલેકે ગત તારીખ 5 6 2021 ના રોજ પર્યાવરણ જતન અંતર્ગત 18 માનવ વેલ્ફેર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જય ગણેશ કરાયા હતા જેમાં ૧૦૦૦ જેટલા વૃક્ષો નુ રોપણ કરી પર્યાવરણનું જતન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વિશ્વ પર્યાવરણ દિવસ થી વૃક્ષ વાવો વરસાદ લાવો મોરબી શહેર જિલ્લા ને લીલી હરિયાળી બનાવવા માટે મોરબીના મહેન્દ્રનગર ખાતે સીએનજી પંપ પાછળ આવેલ ગણેશપુરી સોસાયટીમાં 50 જેટલા વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યું છે જેમાં ૧૮ માનવ વેલ્ફેર ફાઉન્ડેશન સંસ્થાના આયોજકો દ્વારા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેમાં સંસ્થાના અધ્યક્ષ અલ્પેશ કાલરીયા જીતેન્દ્રભાઈ . ચીખલીયા અને અરવિંદભાઈ ચીખલીયા સહિત પ્રભુ બાપા કરોડિયા, દલસુખભાઈ સુરાણી, જ્યોતિબેન, નયનાબેન, અરવિંદભાઈ દરજી, ગઢવીભાઈ, બીપીનભાઈ જોશી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે જે તસ્વીરમાં નજરે પડે છે. *અહેવાલ અને તસ્વીર આરીફ દીવાન*
