
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ઉત્સાહી ચેરમેન શંકરભાઈ ચૌધરી થરા નગરપાલિકાના એક કાર્યક્રમમાં પધારતાં તેમણે થરા જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
આ શુભ અવસરે કાંકરેજના કર્મઠ ધારાસભ્ય કીર્તીસિંહજી વાઘેલા,પ્રભારી નંદાજી ઠાકોર,જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ,મહામંત્રીઓ ડાયાભાઈ પિલિયાતર,કનુભાઈ વ્યાસ,દીલીપભાઈ ઠાકોર,એ.પી.એમ.સી. ચેરમેન અણદાભાઈ પટેલ,પૂર્વ મહામંત્રીઓ અચરતભાઈ ઠકકર,ભારતસિંહ ભટેસરીયા તેમજ ભાજપ આગેવાનો સર્વ પૃથ્વીરાજસિંહજી વાઘેલા,હંસપુરી ગોસ્વામી,અમીભાઈ દેસાઈ,કનુભાઈ બી.આચાર્ય,ઈશુભા વાઘેલા,નિરંજનભાઈ ઠકકર,તરૂણભાઈ ઠકકર સહિત અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જલારામ મંદિરના પૂજારીજીએ સૌનું કંકુતિલકથી સ્વાગત કરી પૂજ્ય જલારામબાપાની ચરણપાદૂકા માથા ઉપર મૂકી આશીર્વાદ આપ્યા હતા.બનાસકાંઠા,ગુજરાત અને સમગ્ર ભારતમાંથી કોરોના નેસ્તનાબૂદ થાય તે માટે સૌ આગેવાનોએ પ્રાર્થના કરી હતી.થરા જલારામ મંદિરની વ્યવસ્થા,આયોજન,અન્નક્ષેત્રની સુઘડ કામગીરી અને સુચારૂ વહીવટથી સૌએ અત્યંત રાજીપો વ્યકત કર્યો હતો.ભોજનપ્રસાદની વ્યવસ્થા પ્રખર જલારામ સેવક અચરતભાઈ ઠકકરના નિવાસસ્થાને કરવામાં આવી હતી જ્યાં ભાજપ શહેર પ્રભારી નિરંજનભાઈ ઠકકર અને પરિવારે સૌનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું.
