
જામનગર એસ.ટી.ડેપોમાંથી બપોરે 14.30 વાગ્યે ઉપડતી બસ જામનગર થી જોડિયા થઈ ને રાજકોટ તરફ જતી બસ હડિયાણા ગામે થી જોડિયા તરફ એપ્રોચ સિંગલ રોડ ઉપર બે કોઝવે આવેલા છે. તેમાં પ્રથમ જ કોઝવે ઉપર ઘણા સમયથી પુલ નું કામ નબળું બનાવેલ હતું.અને અવારનવાર આ પુલ ને ન્યૂઝ પેપરમાં ચમકાવવા માં આવેલ હોય તો પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. અને આજે એક એસ.ટી.બસ ડાબી બાજુએ ખૂંચી ગઈ છે. અને બસમાં બેઠેલા મુસાફરો ને કોઇ પણ પ્રકારની જાન હાની થયેલ નથી.. તો આ પુલ ને તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવી ગ્રામજનોની માગણી છે….
શરદ એમ.રાવલ.. હડિયાણા.
