
(મિલન મહેતા દ્વારા) રાજકોટ: પારડી ગામ પંચાયત ની હદમાં આવેલા શીતળા મંદિર પાસે સ્થાનિક લોકો દ્વારા સ્વચ્છતાનો અભાવ રહ્યો હોય તેમ ખુદ રોગચાળાને આમંત્રણ આપી રહ્યા હોય તે રીતે આડેધડ કચરો નાખી રહ્યાની વ્યાપક ફરીયાદ ઉઠી છે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સ્વચ્છતા અંતર્ગત કચરાપેટી રાખવામાં આવેલ હોય છતાં લોકોને સ્વચ્છતા રાખવાનું જાણે ગમતું ન હોય તે રીતે જાહેર માર્ગો પર ગંદકી કચરા લીલા સુખા કચરા નાખીને રોગચાળો ફેલાય તેવી રીતે આડેધડ નાખવાથી ત્યાંથી પસાર થતા લોકોને ભારે હાલાકી પડે છે અને આજુબાજુમાં રહેતા લોકોને પણ રોગચાળાનો ભય રહ્યો છે જ્યારે સરપંચ દ્વારા કચરા પેટી મુકવામાં આવેલ હોય તેમાં કચરો નાખવાના બદલે માર્ગ પર નાખવાનું કારણ શું!? પારડી ગામ પંચાયતની હદમાં શીતળા માં ના મંદિર વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ સ્કુલની બાજુમાં કચરા પેટી મુકવામાં આવી છે છતાં તે કચરાપેટીની બહાર કચરો નાખીને રોગચાળાને આમંત્રણ આપતા લોકો હોય દંડ પ્રક્રિયા હાથ ધરવી જોઈએ જાહેરમાં કચરો નાખી અન્યને રોગચાળા નો ભોગ ન બને તે માટે ગામ પંચાયત દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ તે આજના આધુનિક યુગ ની લાગણી અને માંગણી ઉઠવા પામી છે
