

“૧૦ હજારની વસતી ધરાવતું સનાળા ગામ ના લોકો ના લાભાર્થ અંતર્ગત ઘરના આંગણે મેડિકલ સારવાર અને શિક્ષણ મળે તેવા પણ પ્રયાસો સંસ્થા દ્વારા હાથ ધરાયા છે”
મોરબી તાલુકાના સનાળા ગામ ખાતે શ્રી પાટીદાર સમાજ સેવા સંસ્થા દ્વારા નાના ગામમાં મોટી પ્રજાલક્ષી ગ્રામજનોની સેવા અંતર્ગત તાજેતરમાં જ વૃક્ષારોપણ કરી સનાળા ગામ માં પર્યાવરણનું જતન કરાયું હતું ત્યારબાદ તારીખ 16 7 2021 ના રોજ શ્રી પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સનાળા ગામ ના સર્વે સમાજ માટે સબ વહીની ની સેવ શરૂ કરવા માં આવી છે ત્યારે જરૂરીયાત હોય તેવા વ્યક્તિઓએ મોબાઇલ નંબર ૯૮૨૪૫ ૫૮૫૧૬ /૮૨૩૮૨ ૨૯૭૨૯ ઉપર સંપર્ક કરવા માટે પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું છે જે સબ વહીની તસવીરમાં નજરે પડે છે અત્રે નોંધનીય છે કે શ્રી પાટીદાર સમાજ સેવા સંસ્થા દ્વારા સમગ્ર સનાળા ગામ જનોના લોકોને ઘર આંગણે શિક્ષણ અને મેડિકલ સારવાર મળી રહે તેવા પ્રયાસો પણ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી આવનાર સમયમાં સખી દાતાઓના સહયોગ અને સંસ્થાની સેવાકિય પ્રવૃતિને લોકોના લાભાર્થે વધુ વેગ મળે તેવા પ્રયાસો સંસ્થા દ્વારા ચાલી રહ્યા છે જેમાં વ્યાજબી ભાવે મેડિકલ સારવાર તેમજ શિક્ષણ પ્રાપ્ત થાય એ પણ ઘરના આંગણે તેવું સંસ્થા દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું હોય જેના ભાગરૂપે સનાળા ગામ ખાતે જમીન પણ સંસ્થા દ્વારા ખરીદી કરેલ હોય જેથી આવનાર સમયમાં સનાળા ગામ જનો ઘરના આંગણે મેડિકલ સારવાર મેળવી શકે તેઓ ઉદ્દેશ સંસ્થા દ્વારા રહ્યો છે માત્ર ૪૦ ટકા જ પાટીદાર સમાજ વસવાટ કરતું સનાળા ગામ માં દસ હજારની વસ્તી માં 60% સર્વે સમાજ વસવાટ કરે છે જેથી સર્વે
સમાજ ના લાભાર્થે નાતજાતના ભેદભાવ વગર માનવ સેવાકીય પ્રવૃત્તિ શ્રી પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શરૂ કરી છે 
તસવીરમાં શબવાહિની તસવીરમાં નજરે પડે છે
