શરદ એમ.રાવલ.. હડિયાણા..
આજ રોજ જોડિયા તાલુકા ના હડિયાના સી.આર.સી.કેન્દ્ર પાર 10 શાળા ના 62 શિક્ષકો માંથી મોટા ભાગના શિક્ષકો ઉપસ્થિત રહી ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માં ભાગ લીધો હતો.જેમાં કેંદ્ર ના કન્વીનર કનુભાઈ જાતીયા એ સર્વ પૂર્વ ત્યારી કરી હતી.અને તાલુકા સંઘ ના પ્રમુખ ભાવેશભાઈ પનારાએ સર્વેક્ષણ એ એક ફરજ ના ભાગ રૂપે છે અને આગામી ગુણોત્સવ ની પૂર્વ ત્યારી અને આગામી શિક્ષકો ની તાલીમ પૂરતું જ છે અંગે રાજ્ય ના શિક્ષણ મંત્રીએ અને માં નિયામકે અને સચિવ સાહેબે પણ સ્પષ્ટ જણાવેલ છે. જેથી આ સર્વેક્ષણ અંગે કોઈ વિવાદ કરવાનો કોઈ પ્રશ્ન નથી.હડિયાના ના શિક્ષક મિત્રો આ ઉત્સાવ રૂપે સહભાગી થયા છે.અને જ્યારે રાજ્ય પ્રા.શિક્ષક સંઘ હાકલ કરશે ત્યારે જોડીયા તાલુકા સંઘ ના તમામ શિક્ષક મિત્રો હર હંમેશા ત્યાર છે .હક અને ફરજ બંને માટે પ્રા.શિક્ષકો ત્યાર હોય છે.આ તકે જોડિયા તાલુકા ના તમામ સર્વેક્ષણ માં સહભાગી શિક્ષકો નો તાલુકા સંઘ હૃદય પૂર્વક આભાર માને છે….
