અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન
વાંકાનેર: વાંકાનેર માર્કેટયાર્ડના કર્મચારી ઉસ્માનભાઈ મીરાજીભાઈ કડીવાર તા.૩૧-૭–૨૦૨૧ના રોજ વય મર્યાદના કારણે નિવૃત થતા આજે તા.૯–૮–૨૦૨૧ ના રોજ ડો.એ.કે.પીરઝાદા માર્કેટયાર્ડ વાંકાનેર ખાતે સન્માનપત્ર અને શાલ આપી સન્માન કરવામાં આવ્યુ.
આ પ્રસંગે માર્કેટયાર્ડ ચેરમેન શકીલ એહમદ પીરઝાદા, વાઈસ ચેરમેન અશ્વિનભાઈ મેધાણી, સેક્રેટરી અબ્દુલ ચૈાધરી, આસી.સેક્રેટરી ઈરફાન મેસાણિયા તથા સ્ટાફ ગણ ઉપસ્થિત રહયા હતા.
