મોરબી : પ્રદેશ ભાજપ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ અને પરામર્શ કરીને મોરબી જીલ્લા સાંસ્કૃતિક સેલના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. મોરબી જીલ્લા ભાજપના સાંસ્કૃતિક સેલના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલની ટીમમાં સંયોજક તરીકે દેવેનભાઈ શિવધનભાઈ વ્યાસ, સહ સંયોજક તરીકે સુરેશભાઈ પ્રાગજીભાઈ પડસુંબીયા અને સભ્યો તરીકે ભાવેશભાઈ હરદાસભાઈ વરસડા, કશ્યપભાઈ અશોકભાઈ અગ્રાવત, અશ્વિનભાઈ લવજીભાઈ બરાસરા, પ્રેમલભાઈ મહેન્દ્રભાઈ દફતરી, ચેતનભાઈ પ્રવિણચંદ્ર દવે, દિલીપભાઈ મનસુખલાલ રવેશીયા, ગૌતમભાઈ જયંતિભાઈ ઓરીયાની નિમણુંક કરવામાં આવી છે અને આ તમામને શુભેચ્છાઓ પાઠવામાં આવી છે.
