*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
ન્યુ દિલ્હી ખાતે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી અને યુવા નેતા રસિક ચાવડાએ રાષ્ટ્રપતિ ભવન ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ સાથે જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારો ધણાં સમયથી પાકિસ્તાની જેલો માં કેદ છે તેને છોડવા બાબતની રજૂઆત પણ કરી હતી.
ચાવડા એ મહામહીમ જ્યારે અખિલ ભારતીય કોળી સમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે તેની સાથે તેણે સંગઠન માં કામગીરી કરેલ હતી. અને હાલ દિલ્હી ખાતે કોળી સમાજ ભવન ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ની રાષ્ટ્રીય કારોબારી અને શપથવિધિ સમારોહમાં માં પણ રસિક ચાવડા એ હાજરી આપી હતી.
