
આશીકાને મૌલા અલી ગ્રુપ દ્વારા નાત શરીફ, વાયઝ શરીફ, ન્યાઝ શરીફ, સહિતના કાર્યક્રમો
(જનક રાજા દ્વારા) મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમા આશીકાને મૌલા અલી ગ્રુપ દ્વારા જશ્ને શહિદે ઇમામે હસન નિમિત્તે રાત્રે નાત શરીફ વાયેઝ શરીફ સાથે ન્યાઝ શરીફ નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે
તા.૬/૧૦/૨૦૨૧ ને બુધવારના રોજ કોમી એકતા નાં પ્રતિક હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જશ્ને શહિદે ઇમામે હસન નિમિત્તે રાત્રે નાત શરીફ વાયેઝ શરીફ સાથે ન્યાઝ શરીફ નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાત શરીફ નાં મશહૂર શબ્બીર ચિશ્તી નાત શરીફ પેસ કરશે તેમજ શહેર નાં કાલિકા પ્લોટના નાં મૌલાના અયુબ બાપુ બુખારી વાયેઝ શરીફ ફરમાવશે આ કાર્યક્રમ ને સફળ બનાવવાં માટે આશીકાને મૌલા અલી ગ્રુપ ના કાર્યકરો તેમજ પ્રધાનમંત્રી આવાસનાં કોમી એકતા સાથે હિન્દુ મુસ્લિમ બિરાદરો ખુબ મોટીસંખ્યામાં જોડાશે
