


*સામતભાઈ લક્ષ્મણભાઈ જારીયા પરિવારે સ્વર્ગસ્થ પિતાજી ની ૫૦મી પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી*
સ્વ.લક્ષ્મણભાઈ ઉકાભાઈ જારીયા ની ૫૦ મી પૂણ્યતિથી નિમિતે તેમના પરિવારજનો સામતભાઈ લક્ષ્મણભાઈ જારીયા, કાંતાબેન સામતભાઈ જારીયા, દુષ્યંતભાઈ સામતભાઈ જારીયા તથા રેણુકાબેન દુષ્યંતભાઈ જારીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.
આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, સુનિલભાઈ પુજારા, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, હસુભાઈ પંડિત, નરેશભાઈ ઠક્કર, અજયભાઈ કક્કડ સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે આજની પેઢી સ્વજન ના અવસાન બાદ થોડા વર્ષો મા પોતાના જીવન મા વ્યસ્ત થઈ જતી હોય છે તેમજ સ્વજન ગુમાવવા નુ દુ:ખ વિસરાય જતુ હોય છે ત્યારે મોરબી ના જારીયા પરિવાર દ્વારા ૫૦-૫૦ વર્ષ સુધી પણ સ્વજન ની યાદ મા પ્રેરણાદાયી કાર્યો કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી રહી છે જે ખરેખર સમાજ માટે પ્રેરણાદાયી બાબત છે.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
