થરા નગરના પ્રખર રામાયણી સદગત કાંતિલાલ શંકરલાલ ઠકકર/કોટક ની દિવ્ય સ્મૃતિમાં એમની પ્રથમ વાર્ષિક પૂન્યતિથિએ સદગુરૂ સાધના કેન્દ્ર દ્રારા સત્સંગનું આયોજન કરાયું હતું.સત્સંગ, સંગીત, સેવાના ત્રિવેણી સંગમ સાથે માતૃદિવસ અને ગંગા સપ્તમી અનુસંધાને આદરણીય રામભકત કાંતિકાકાને દિવ્ય શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
સદગુરૂ સાધના કેન્દ્ર દ્રારા આયોજીત આ કાર્યક્રમનું સંચાલન મનહરભાઈ ઠક્કર તેમજ ગાંધીનગરના સંગીતકાર, સ્કાઉટ માસ્ટર કશ્યપભાઈ ઠકકરે કર્યું હતું.ભજનસંધ્યાના આ કાર્યક્રમમાં થરાના પરમ વંદનીય સંત મમતા મૈયાજી,ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કીર્તીસિંહજી વાઘેલા,થરાના જલારામ સેવકો અચરતલાલ ઠકકર, પ્રહલાદભાઈ ઉણવાળા,નિરંજનભાઈ ઠકકર, સુંદરકાંડ મંડળના અરવિંદભાઈ ઠકકર, હારિજ સદગુરૂ સાધના કેન્દ્રના સંચાલક ગોવિંદભાઈ ઠકકર સહિત અનેક સત્સંગીઓ ખાસ હાજર રહ્યા હતા.
પ્રાર્થના,ભજન,ધ્યાન થી ઉપસ્થિત શ્રધ્ધાળુઓએ આવા કાર્યક્રમ વારંવાર થાય તેવી વિનંતી કશ્યપભાઈ ઠકકરને કરી હતી.સદગત કાંતિકાકા ઠકકર થરાની એક આગવી આધ્યાત્મિક ઓળખ સમાન હતા.
