અહેવાલ અને તસ્વીર.. પંકજ પીઠડીયા. સરવડ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૨૫ સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાન ને વેગ મળી રહે અને મોરબી જીલ્લો નીતી આયોગમાં આકાંક્ષી જીલ્લો હોય જે ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ મુજબ ટીબીના દર્દીઓને દતક લઈ દર્દીઓને ન્યુટ્રીશયન સપોર્ટ કરવા માટે મોરબી જીલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા જીલ્લા ક્ષય અધિકારી ડો. એન.એન.ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી છે.
માનનીય પ્રધાનમંત્રીના ”ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્ન ને સાકાર કરવા આગેકુચ કરીને આ પ્રસંગે અનિલ નાનજીભાઈ સુરાણી ( L ગ્રુપ ) દ્વારા માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર સરવડ ના ૫ પેશન્ટને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ૬ મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપી હતી.
