
( જનક રાજા દ્રારા ) મોરબી : મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાંયુવા ગ્રૂપ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય જ્યાં ગણપતિ મહારાજને ૫૬ ભોગ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો સોસાયટીવાસીઓએ ધામધૂમથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરી હતી
મોરબીના પ્રધાન મંત્રી આવાસ યોજના સોસાયટીના યુવા ગ્રૂપ દ્વારા યુવા ગ્રૂપ કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં ગણપતિ દાદા ને 56 ભોગ અન્નકુટ ધરવામાં આવ્યો હતો આ ગણેશ મહોત્સવ માં દાંડિયા રાસ સહિત મનોરંજનના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે.દરરોજ રાત્રે બહેનો દ્વારા રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવે છે.
