અજયભાઈ લોરીયા દ્વારા નવરાત્રી મહોત્સવમાં વીઆઇપી ગ્રાઉન્ડમાં કાયમી માટે પાટીદાર દીકરીઓ માટે ફ્રી એન્ટ્રીની મહત્વની જાહેરાત કરાઈ
મોરબી : સેવાભાવી અજય લોરીયા દ્વારા સંચાલિત સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત શહીદ જવાનના પરિવારના લાભાર્થે મોરબીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં VIP ગ્રાઉન્ડમાં પાટીદાર દીકરીઓને કાયમી માટે ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
[પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પાટીદાર દીકરીઓએ ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે આઈડી પ્રુફ સાથે રાખવા જરૂરી છે. આ ઉપરાંત તમામ ખેલૈયાઓને ફરજિયાત આધાર કાર્ડ સાથે લઈને આવવા જણાવવામાં આવ્યું છે. આધાર કાર્ડ વગર કોઈને પણ એન્ટ્રી આપવામાં આવશે નહીં તેવું અંતમાં જાહેર કરાયુ છે.
