
શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા ૨૨ ઓકટોબરથી ૨૬ ઓકટોબર દરમિયાન મોરબી જિલ્લાના પ્રવાસે છે.
મંત્રીશ્રી ૨૨ તેમજ ૨૩ ઓકટોબરે વિવિધ સ્થળે લોક સંપર્ક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
૨૪ ઓકટોબરે દિવસ દરમિયાન લોકસંપર્ક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાત્રી ૮:૦૦ કલાકે સોની બજાર ખાતે નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત કરશે.
૨૫ ઓકટોબરે દિવસ દરમિયાન વિવિધ સ્થળે લોકસંપર્ક યોજશે.
૨૬ ઓકટોબરે ૮:૩૦ કલાકે બગથળા ગામે નકલંક ધામ ખાતે દર્શનાર્થે જશે. સવારે ૧૦:૦૦ કલાકે વવાણીયા ગામે આઈમાં શ્રી રામબાઈમાં દેવસ્થાને દર્શનાર્થે જશે. ઉપરાતં બપોર બાદ મોરબી ખાતે જુદી જુદી જગ્યાએ રખાયેલ નૂતન વર્ષાભિનંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
