
ડીસાના ખૂબ જ સેવાભાવી,ધર્મપ્રેમી,ગૌપ્રેમી,સમાજપ્રેમી,રાષ્ટ્રપ્રેમી એવા લોહાણા સમાજના રાયચંદભાઈ કાનજીભાઈ મજેઠીયા/ઠક્કરનું 62 વર્ષની નાની ઉંમરે આકસ્મિક નિધન થતાં તેમના પરિવાર,સમાજ તેમજ ડીસા નગરમાં ઉંડા આઘાતની લાગણી પ્રસરી છે.
સદગતની સ્મશાનયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્નેહીજનો તેમજ નગરજનો જોડાયા હતા.શાંતિધામ સ્મશાનભૂમિ ખાતે સર્વ ભગવાનભાઈ બંધુ,શાંતિલાલ વકીલ,લીલાધરભાઈ આચાર્ય, કાંતિભાઈ કતીરા,નરેશભાઈ ઉડેચા,ભરતભાઈ વેલકમવાળા,કમલેશભાઈ રાચ્છ,પ્રવિણભાઈ સાધુ,ભરતભાઈ ધાનેરાવાળા સહિત સૌએ સદગતના ગુણાનુવાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.કાનજીભાઈ ભીખાલાલ મજેઠીયા પરિવાર વતી અશોકભાઈએ સૌનો આભાર માની ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.
