
ડીસા રઘુવંશી સમાજના શ્રેષ્ઠી તેમજ ઉદાર દાતા તારાચંદભાઈ દીપચંદભાઈ મજેઠીયાનું દબદબાભેર કરવામાં આવેલ સન્માન
અનેક સત્કાર્યોના આજીવન સહયોગી,ભામાશા સમાન જાણીતા દાતા,મિલનસાર,નિસ્વાર્થ,નિષ્ઠાવાન,નિખાલસ,જીવદયાપ્રેમી,જલારામ સત્સંગ મંડળના નિયમિત સત્સંગી તેમજ કચ્છ વાગડ લોહાણા સમાજ ડીસાના લોકપ્રિય પ્રમુખ તારાચંદભાઈ દીપચંદભાઈ મજેઠીયા/ઠક્કરની તાજેતરમાં આડેસર ખાતેની મીટિંગમાં અખિલ કચ્છ વાગડ લોહાણા સમાજના ટ્રસ્ટી તરીકે નિમણૂક થતાં ડીસાના અખિલ રઘુવંશી લોહાણા સમાજ તેમજ જીવદયાપ્રેમીઓમાં અત્યંત ગર્વ,ગૌરવ અને આનંદની લાગણી પ્રસરી છે.
તેઓ જલારામ મંદિર અને જલારામ સત્સંગ મંડળ ડીસાના આજીવન સહયોગી તેમજ નિયમિત સભ્ય હોઈ ગુરૂવારે જલારામ મંદિરે દર્શને પધારતાં તેમનું સાલ ઓઢાડી દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અવસરે જલારામ ભકતો સર્વ શારદાબેન આચાર્ય,ભગવાનભાઈ બંધુ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,યશવંત શાસ્ત્રીજી મહારાજ,ચંદુભાઈ એટીડી,બળદેવભાઈ રાયકા,મહેશભાઈ ઉડેચા,આનંદભાઈ પી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,નરેશભાઈઉડેચા,આર.ડી.ઠકકર,દિનેશભાઈ ચોક્સી,હસમુખભાઇ ચૌહાણ,લાલાભાઈ ઠકકર,મનુભાઈ પૂજારા,દિનેશભાઈ કવિરાજ,હરેશભાઈ ઠકકર સહિત અનેક શુભેચ્છક મિત્રોએ ખાસ હાજર રહી તારાચંદભાઈને અભિનંદન આપી અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.તારાચંદભાઈએ પણ પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી સન્માન કરવા બદલ સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.


