
*હવન અષ્ટમીના દિવસે જલારામભકિતધામના ગૃપની બહેનોએ ઝુંપડપટ્ટી ની બાળાઓને જમાડીને લ્હાણી આપી*
જલારામભકિતધામ ગૃપની બહેનોએ મંદિરની આસપાસની ઝુપડપટ્ટીની બાળાઓને સુંદર ભોજન કરાવ્યું. પ્રથમ દિકરીઓને ચાંદલા કરી સન્માન આપ્યું પછી વારાફરતી દરેક બહેનોએ પોતપોતાના તરફથી અલગ અલગ લ્હાણી (રોકડ ભેટ કવર સહિત)આપી,તેમની પરિક્રમા કરી, પછી ભકિતધામ તરફથી મંદિરના ફોટા વાળી સરસ થેલી આપવામાં આવી. દરેક દિકરી પોતાની લ્હાણી થેલીમાં ભરીને વિદાય થઈ ત્યારે તેના ચહેરા અપૂર્વ આનંદ હતો અને આજના પાવન દિવસે કંઈક કરવા જેવા કામનો સંતોષ બહેના ચહેરા પર જોવા મળતો હતો.
હિરેન નાગ્રેચા જૂનાગઢ
9898915874


