વાંકાનેર તા 19
વાંકાનેરના મહમ્મદભાઈ રાઠોડ દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે મોરબી જીલ્લાના વાંકાનેર રેલવે સ્ટેશન પર ઓખા – મુંબઈ (સૌરાષ્ટ્ર મેલ), પોરબંદર – દિલ્હી, જબલપુર – ભોપાલ તથા સિકંદરાબાદની ટ્રેન, આમ આ ચાર ટ્રેનો પસાર થાય છે. પહેલા આ ટ્રેનો વાંકાનેર જંકશન પર કાયમી સ્ટોપ હતો. પરંતુ હવે તેનો સ્ટોપ રદ કરી દેવાયો છે. ત્યારે ફરીથી આ ટ્રેનોનો વાંકાનેર જંકશન પર સ્ટોપ અપાય તો પુરતો ટ્રાફિક મળી રહે અને મોરબી જિલ્લાના મુસાફરોને પણ પૂરતો ન્યાય મળી રહે. આ બાબતે યોગ્ય પગલા લેવા અપીલ કરવામાં
