
*(ભાવિન સેજપાલ દ્વારા)*ઔશ્રી એમડી સોસાયટી ટંકારા ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 83 દર્દીઓએ લાભ લીધો
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ દ્વારા
સદગુરુ મિત્ર મંડળ ટંકારા દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની 6 તારીખે ટંકારા ગામ ના શ્રી એમડી સોસાયટી હોલ ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.6-1-2024 શનિવાર ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 132 દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત 30 લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા માં આવશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, ચા-પાણી, ટીપા, વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.
આ કેમ્પને સફળ બનાવવા માટે
શ્રી ચંદ્રકાંત કટારીયા (ચનાભાઈ)
શ્રી નિલેશભાઈ પટણી
શ્રી લાલાભાઇ આચાર્ય
શ્રી ગીરીશભાઈ ગાંધી
શ્રી જગદીશભાઈ કુબાવત (જગાભાઈ બાવાજી)
શ્રી ગીતાબેન સરડવા શ્રી રજનીભાઈ ખત્રી
શ્રી કુવરજી સાહેબ ભાગ્યા તેમજ શ્રી મનસુખભાઈ બોડા દ્વારા જહેમત ઉઠાવી કેમ ને સફળ બનાવવામાં આવ્યો હતો,
132 લોકોએ લાભ લીધો હતો તેમજ 30 લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવશે. દર મહીના ની 6 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ ની ઝેરોક્ષ સાથે રાખવુ અનિવાર્ય છે.

