
(*કિશોર વીડજા દ્વારા*)મોરબી : યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર તેમજ નેહરુ યુવા કેન્દ્ર સંગઠન (NYKS)ના ડિરેક્ટર જનરલ નિતેશકુમાર મિશ્રા દ્વારા નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના જીલ્લા સલાહકાર સમિતિની (DACYP)ની રચના કરવામાં આવી હતી. જેમાં મોરબી જીલ્લાના અનુસૂચિત સમાજના યુવા આગેવાન, યંગ ઈન્ડિયા ગૃપના સદસ્ય, રેલ્વે સલાહકાર સમિતિના સદસ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તા રાજનભાઈ પુરબિયાની મોરબી જીલ્લા સલાહકાર સમિતિના સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી. આ વરણી બદલ રાજનભાઈ પુરબિયાએ મોરબી જીલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો, ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

