
બાલંભા તા ૧૪ (*લલીત નિમાવત દ્વારા*)ખાતે ઉદાસી આશ્રમ દાઢીયારી કાંઠે આવેલ બાબા શ્રી ચંદ્ર ભગવાન મંદિર ખાતે અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી ચંદ્રજી નો530 મોં પ્રાગટ્ય દિવસની પૂજા અર્ચન આરતી તેમજ મહાપ્રસાદ કરી ધામ ધુમ પૂર્વક દાઢીયાળી ઉદાસી આશ્રમ ખાતે આશ્રમના મહંત શ્રી ભોલે મુની બાપુ ગુરુ શ્રી લહેર મુની બાપુ ના નેજા હેઠળ શ્રીચંદ નોમની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ ઉપરોક્ત પ્રસંગને લઈને બ્રહ્મ ચોરાસી જેમાં( સાધુ.બ્રાહ્મણ. અતીત ) તેમજ બાળકો બાલિકાઓ જમણવાર ( મહાપ્રસાદ ) કરવામાં આવેલ ભક્તજનો એ પણ આ ધાર્મિક પ્રસંગનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી


