
શ્રી હનુમાનજી જન્મોત્સવની જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવી ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય ઉજવણી
તારીખ 12-4-2025 શનિવાર ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસે શ્રી હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ હોઈ સમગ્ર ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં તેની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
ડીસા જલારામ મંદિર ખાતે ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ સાંજના સમયે સાથે મળી સામૂહિક રીતે શ્રી હનુમાનજી ચાલીસાના પાંચ પાઠ કરી રામસ્તુતિનું ગાન કર્યું હતું.108 દિવાની મહાઆરતી કરવામાં આવી હતી.ખૂબ સારી સંખ્યામાં એકત્રિત થયેલ સૌએ શ્રી રામચંદ્રજી ભગવાન,હનુમાનદાદા તેમજ પૂજ્ય જલારામ બાપાનો જય જયકાર કરી હનુમાનજી પ્રાગટ્ય દિન નિમિત્તે આદરપૂર્વક વંદન કર્યા હતા.
મહાઆરતી બાદ ઉમેશભાઈ ઠરિયાણી તરફથી સૌને કેળાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.અતિ સુંદર આયોજન બદલ સૌએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
