
*વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં વાંકાનેરના સુખદેવભાઈ ડાભીને જવાબદારી સોંપાઇ*
આગામી દિવસોમાં ગુજરાતની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજવાની હોય છે, જે અનુસંધાને સમગ્ર ગુજરાતમાંથી પ્રદેશ ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાના દસ અગ્રણીઓને પેટા ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી હોય, જેમાં વાંકાનેરના ચિત્રાખડા ગામના ભાજપ અગ્રણી અને સોસીયલ મિડિયા બક્ષીપંચ મોરચાના પ્રદેશ કન્વીનર સુખદેવભાઈ ડાભીને પણ ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે…

