
મોરબી:તા ૩૧ આદરણીય સભ્યશ્રી,
જયભારત સાથ જણાવવાનું કે આપણા રાષ્ટ્રના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની 150મી જન્મજયંતિના પવિત્ર અવસર નિમિત્તે તેમની અખંડ ભારતની અવિસ્મરણીય રાષ્ટ્રસેવાને બિરદાવી કૃતજ્ઞતા રૂપે આપણે સહુએ આજરોજ સાંજે 5:30 વાગ્યે સરદાર પટેલ સાહેબ ની પ્રતિમા નવા બસ સ્ટેશન ખાતે ભેગા થવાનુ છે. શ્રી સરદાર પટેલ સાહેબ ની પ્રતિમાને ફૂલહાર કરી સરદારસાહેબ ના યશસ્વી કાર્યોને યાદ કરીશું , આ કાર્યક્રમ માં તમામ સભ્યશ્રીઓને નમ્ર વિનંતી છે કે આપ સૌ સમયસર ઉપસ્થિત રહી આ રાષ્ટ્રીય ગૌરવના કાર્યક્રમને સફળ બનાવશો.
સ્થળ : નવા બસ સ્ટેન્ડ સામે શ્રી સરદાર પટેલ સાહેબ ની પ્રતિમા પાસે
સમય : સાંજના 6.00 કલાકે
આભાર સહ
પ્રમુખ
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન
